વેકેશનમાં ફરવા લાયક ગુજરાતના ટોપ 10 પ્રવાસન સ્થળો

 વેકેશનમાં ફરવા લાયક ગુજરાતના ટોપ 10 પ્રવાસન સ્થળો | સાપુતારા| સ્ટેચ્યુ ઓફ યુનિટી |સરદાર સરોવર ડેમ | રાણકી વાવ પાટણ | જૂનાગઢ ,ગીર અભ્યારણ, ગિરનાર| તારંગા હિલ | પાવાગઢ મહાકાળી મંદિર |સોમનાથ મંદિર | શિવરાજપુર બીચ | મોઢેરા સૂર્યમંદિર

 સ્ટેચ્યુ ઓફ યુનિટી , સરદાર સરોવર ડેમ :ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે. 

 

 

 
 

 

 
 
 સાપુતારા :ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે.
 

 

 

 તારંગા હિલ :મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંની મુલાકાત લેનારને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે


 

સોમનાથ :ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ  પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલી મંદિરનું પુનઃસ્થાપન હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું અને મે 1951 માં પૂર્ણ થયું હતું. વલ્લભભાઈ પટેલ દ્વારા પુનર્નિર્માણ પૂરું થયું હતું.

 
જૂનાગઢ :જૂનાગઢ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. જૂનાગઢ જનારા પ્રવાસીઓ સક્કાબાગ પ્રાણી સંગ્રહાલય , વાઇલ્ડલાઇફ મ્યુઝિયમ, મકબરો, ઉપરકોટ કિલ્લો, ગિરનાર, ગીર નેશનલ પાર્ક જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ શકે છે. ગુજરાત રાજ્યમાં ફરવા માટે સારું સ્થળ શોધી રહેલા કોઈપણ પ્રવાસીએ જૂનાગઢની મુલાકાત લેવી જ જોઈએ.
 
 

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે આ એક વન્યજીવ અભયારણ્ય છે, જેની સ્થાપનાનું મુખ્ય કારણ એશિયાઈ સિંહોનું રક્ષણ કરવાનું હતું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

 
 
પાવાગઢ :પંચમહાલ જિલ્લાળના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાગાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શકિતપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્થામન અને પ્રાકૃતિક સૌંદર્યધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઉંચા શિખરની ટોચ ઉપર બિરાજમાન સાક્ષાત શકિત સ્વારૂપ, જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યા માં શ્રઘ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યસતા અનુભવે છે.

 

 

રાણકી વાવ :પાટણ ગુજરાત રાજ્યનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે,જે રાણી કી વાવ માટે જાણીતું છે. આ વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવી છે. પાટણમાં અનેક મંદિરો, દરગાહ અને જૈન મંદિરો પણ છે. જો તમે ગુજરાતના કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હો, તો તમારે તમારી યાદીમાં પાટણનો સમાવેશ કરવો જોઈએ.

 
 
 

શિવરાજપુર બીચ :શિવરાજપુર બીચ, ગુજરાતના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો દરિયાકિનારો છે. શિવરાજપુર ગામની રચના ૧૯મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૦માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત ‘બ્લુ ફ્લેગ બીચ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

મોઢેરા :મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે[૨], જે ૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.

Leave a Comment