દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો છે મોટો પ્રોજેક્ટ જુઓ વિસ્તારથી

 દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો છે મોટો પ્રોજેક્ટ જુઓ વિસ્તારથી

ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી વિશે લોકોમાં ઘણી વાર્તાઓ છે. આ બધી વાર્તાઓમાં એક વાત સમાન છે અને તે એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું, જેના અવશેષો હજુ પણ જોવા મળે છે. દરિયામાં ડૂબેલા દ્વારકા શહેરનું રહસ્ય જાણવા ગુજરાત સરકારે મોટી તૈયારી કરી છે. રાજ્ય સરકાર સબમરીન દ્વારા દ્વારકા શહેરના રહસ્યો ઉકેલવાનો પ્રયાસ કરશે. ઉપરાંત આ સબમરીનની મદદથી ભક્તોને શ્રી કૃષ્ણ નગરીના દર્શન પણ કરાવવામાં આવશે.


હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે થઇ શકશે. મૂળ દ્વારકાની મુલાકાતે ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવા જઈ રહી છે. 

દ્વારકા નગરી જે દરિયામાં ડૂબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટ શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયુ સાઇન કર્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે.

સબમરીની વિશેષતાઓ 

  • સબમરીનનું વજન લગભગ 35 ટન હશે
  • સબમરીનમાં એક સાથે 30 લોકો બેસી શકશે, જેમાં 2 ડાઇવર અને એક ગાઇડ હશે.
  • જેમાં બે હરોળમાં 24 મુસાફરો બેસશે. 2 ડાઈવર, 2 પાઇલટ,1 ગાઈડ અને 1 ટેકનિશિયન હશે.
  • દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે, જેથી 300 ફૂટની ઉંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાય.
  • ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપશે. તેમનું ભાડું ટિકિટમાં સામેલ કરવામાં આવશે.
  • તેમાં કુદરતી પ્રકાશની જોગવાઈ હશે. કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે. 

સમુદ્રમાં 300 ફીટ નીચે જશે સબમરીન

સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. વાઈબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, સબમરીન લોકોને સમુદ્રની નીચે 300 ફીટ સુધી લઈ જશે. જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરાવશે. આ સબમરીન ટુર લગભગ બે થી અઢી કલાકની હશે.

સબમરીન પ્રોજેક્ટ

ઉલ્લેખનીય છે કે દ્વારકાથી બેટ દ્વારકા સુધી જે કેબલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આવા સબમરીન પ્રોજેક્ટ અને કેબલ બ્રિજ બાદ દ્વારકામાં પ્રવાસનને ચોક્કસપણે વેગ મળશે.

કેટલું હશે સબમરીનનું ભાડું

દ્વારકા દર્શન માટે સબમરીનનું હાલનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.  પરંતુ ગુજરાત સરકારે અત્યાર સુધી ભાડાની જાહેરાત કરી નથી. પંરતુ કહેવાય છે કે, તેનું ભાડું મોંઘું હોઈ શકે છે. સામાન્ય લોકોને ઘ્યાનમાં રાખીને સરકાર તેમાં સબસીડી આપી શકે છે.

Leave a Comment