વ્હાલી દીકરી યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 


વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2022

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે?

 • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.

 • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.

 • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.

 • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

 


વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

 • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)

 • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ

 • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)

 • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)

 • દીકરી નો જન્મ દાખલો

 • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

 • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા

 • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પાત્રતા

 • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)

 • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

 • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

મહત્વપૂર્ણ લિંક

 સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી મળશે?

આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO  કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.

આ સ્કીમથી ફાયદો કોને?ગરીબ,મધ્યમવર્ગ, ને આ સ્કીમનો સૌથી મોટો ફાયદો જોવા મળશે કેમ કે આમાંથી અમુક મોટાભાગના લોકો પોતાની દીકરીને ભણાવતા નથી જેથી તેઓ આર્થિક લાભ માટે ભણાવતા થશે,ઉપરાંત 18વર્ષે જે રકમ આવશે તે દીકરીઓના લગ્ન માટે પણ કામ આવશે,અથવા વધુ આગળ ભણવા માટે પણ કામ આવશે.ક્યારે ચાલુ થશે યોજના?આ યોજનાનો અમલ આમતો ચાલુ વર્ષે થશે તેમ સરકારનું અને અધિકારીઓનું કહેવું છે, જો ચાલુ વર્ષે આ લાભ મળવાના ચાલુ થાય તો ગુજરાતના આશરે 70%થી વધુ કુટુંબ ને આનો લાભ મળશે.

Leave a Comment