કાચી કેરી ખાવાના ફાયદા kachi keri

કાચી કેરી ખાવાના છે અઢળક ફાયદા | કાચી કેરીનું સેવન | kachi keri khavana fayda

 કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે. ગરમી શરૂ થતા જ બજારમાં કાચી કેરીનું આગમન થાય છે. ગરમીમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવા ખાટ્ટા ફળોને જોઇને આંખને ઠંડક પહોંચે છે. કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે. કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સિવાય દરેક વસ્તુનું વધારે માત્રામાં સેવન નુકસાન કરે જ છે.ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જણાવીશું.

ગરમીમાં કાચી કેરીનો ઉપયોગ માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે નહી પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ કરવામાં આવે છે. કાચી કેરીના સેવનથી રક્ત વિકારથી થતી બિમારીના જોખમથી બચી શકાય છે.

વજન ઓછુ કરવા-
કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે
એસિડિટી દૂર થશે-
એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.
રોગપ્રતિકારક શક્તિ વધશે

કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે.
ગરમીથી બચાવે

કાચી કેરીને મીઠું લગાવીને ખાવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. સાથે જ આ હાઈ બીપીથી પણ બચાવે છે.


લિવર માટે ફાયદારૂપ-
કાચી કેરી ખાવાથીથી લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો  કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.

એસીડીટી
જો તમને એસિડીટે કે છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારે માટે સારુ ફળ છે. એસિડીટીને ઓછુ કરવા માટે કે કાચી કેરીનુ રોજ સેવન કરો


 રક્ત વિકારને દુર કરશે
કાચી કેરીમાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે.

 કાચી કેરી ખાવાનાં  ગેરફાયદા પણ જાણી લો  કાચી કેરીનું વધારે માત્રામાં સેવન ગળામાં બળતરા, કબજિયાત અને પેટના દુખાવા જેવી પરેશાનીઓ પેદા કરી શકે છે. એક અન્ય વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવી જોઇએ તે કાચી કેરીનું દૂધ. કાચી કેરીનું સેવન કરતાં પહેલાં કાચી કેરીનું અર્ક કાઢવાનું ન ભુલવું, આ અર્કનું સેવન ગેસની સમસ્યા, ગળ અને મુખના સંક્રમણ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

Leave a Comment